હેવાનિયત…
જ્યારે જ્યારે હેવાનિયત મુખડે મુખડે મળતી હશે,
ત્યારે ત્યારે માણસાઈ પણ ટૂકડે ટૂકડે મરતી હશે.
વેશ, પેરવેશ ને આ ટુંકા વસ્ત્ર જ કારણ હોય છે ને,
હા,હવસ રૂપી શસ્ત્ર પર મર્યા પછી નજર ઢળતી હશે.
ક્રુરતા ઝેલે, હેવાનિયત ઝેલે ને ઝેલે એ રૂઢિમાન્યતા!
શું વિચાર્યુ આ બધાંજ દર્દ માસૂમ કેમની ગળતી હશે?
શું નથી સાંભળી શક્તો દાનવ એ દર્દદાયી ચિખને?
એ હાલતે બેગુનાહ પથારીએ કેટલું સળવળતી હશે?
જાણે છે ઉત્તર, ના ગઈ હોત તો નોબત ના આવતી,
એજ ખ્યાલે પીડાને કહેતાં કહેતાં પાછી વળતી હશે.
થઈ ચુક્યો છે ઘોર અંધકાર,નથી કિરણ એક સમજનું!
અંતે નિશાસો નાખી,નારી જાતને જ દોષી ગણતી હશે!
– કંદર્પ પટેલ
Categories
હેવાનિયત …
