
શેરબજારની લાક્ષણીકતા ~ ચંદ્રકાંત ગાલા
જો ‘ખરીદશો’ તો ‘ઘટશે’
જો ‘વેચશો’ તો ‘વધશે’
જો ‘સ્ટોપલોશ’ રાખશો તો ‘પાસ’ થશે…
જો ‘પ્રોફીટબુક’ કરશો તો ‘અફશોશ’ થશે…
જો ‘લોસ’ બુક કરશો તો ‘પસ્તાવો’ થશે….
જો કંઇ જ નહી કરો તો હું જ રહી ગયાની લાગણી થશે……
તો કરવુ શુ ? ? ?
શેરબજાર એટલે ‘અંધારામાં ભૂસકો’ મારવાની કળા.
અહીં વાયર ઉપર એક કાગડો બેસે એટલે બધા કાગડાઓ બેસી જાય.
અને……
એક કાગડો ઉડે એટલે બધા કાગડાઓ ઉડી જાય.
શેરબજારના લોકો આને ‘વક્કર’ કહે છે.
અહીં છીંક કોઈ ખાય અને તાવ બીજાને આવે છે.
*અહીં બુધ્ધિશાળીઓ પૈસા મૂકે છે અને મૂર્ખાઓ કમાઇ જાય છે.*
અહી કામ ‘કરનારા’ કરતાં ‘સલાહકારો’ વધારે છે.
મુકેશ અંબાણી કરતાં રીલાયન્સ વિષે વધારે જાણકારી અને ચિંતા તેના 5 શેર લેનારા રાખે છે.
*શેરબજારની વ્યાખ્યા*
શેરબજાર એ એક એવું ‘માધ્યમ’ છે.
જે ખુબ ‘અઘીરા’ લોકોનાં ‘નાણાં’, ખૂબ જ ‘ઘીરજવાન’ લોકોનાં ‘ખાતામાં ટા્ન્સફર કરી આપે છે.